હેલ્લો,
હું ચિંતન શેલત.
વધુ ઓળખાણ વાત-ચીત થી વધશે.
આ બ્લોગનો હેતુ પણ એમ જ નિર્ણિત અને સિદ્ધ થશે.
અહીં મુકાયેલા લખાણ ને (ખરેખરમાં તો કોઈપણ લખાણ વાંચવા માટે) વાંચવા માટે થોડી વાત કરવી છે. વાંચકે એક ખાસ ધ્યાન રાખવું ઘટે કે પોતાનાં બધાંજ નિબદ્ધનો એ બાજુ પર મૂકીને અહીં પ્રવેશે. પોતાની અભિજ્ઞા અને સંવેદનશીલતાનાં ઘેરાં ને છોડીને શબ્દનો પ્રકાશ જ્યાં જ્યાં લઈ જાય ત્યાં ત્યાં જવાની માનસિકતા હોય તો સંગાથે ઘણે દૂર જઈ શકાશે.
પણ અહીં પ્રશ્ન થવો વ્યાજબી છે કે અહીં આખરે તો લખાયેલો શબ્દ વાંચવાનો છે તો સંપૂર્ણ રીતે (આખરે અભિજ્ઞાની દ્રષ્ટિએ પણ શબ્દ ને સમજવા માટે) પૂર્વનિબદ્ધિત વિચારોનો કે અર્થોનો સહારો લેવો જ પડે, તો શું કરવું? તો અહીં વાત જરા આમ છે કે કલ્પનાનું ઉડ્ડયન ચિરસ્થાયી નથી. ખૂબ ક્ષણિક છે. એટલે જ્યારે જ્યારે એની અસર ઉતરે ત્યારે પાછાં વાડામાં આવી જવું પડે, અને ફરી પાછાં ઉડવું પડે. આમ કલાનુભવનું અનુસંધાન સતત બંધાયા કરે અને તૂટ્યાં કરે આપણાં નિબદ્ધનો સાથે.
માટે જ
શબ્દાર્થ
બાંધ્યા કરે, તોડ્યા કરે
ન ગમે તો ખાસ જણાવજો.
આભાર, આટલો સમય અને શક્તિ અર્પવા માટે.
નવો બ્લોગ શરૃ કરવા માટે શબ્દપૂર્વક આવકાર દોસ્ત...
ReplyDeletekhub khub aabhar anil bhai....
DeleteChintan, this sounds something different. Please carry on. i would like to go through but when and when time permits. Thanks.
ReplyDeleteRead all your posts. Very Interesting. Keep posting.
ReplyDeleteShall call you and tell you in detail what I thought about the poems and the prose-pieces.